આ પુસ્તક દ્વારા ફક્ત આ શબ્દોની સાર્થકતા, જે સત્સંગ અને ગુરુકૃપા બાદ અનુભવી છે. એનું વર્ણન કરવાનો પ્રયાસ માત્ર છે. આમાં મારું કોઈ કર્તુત્વ નથી, કોઈ ભૂમિકા નથી. ફક્ત સંતોના સમાગમ ને આશીર્વાદ, તેમજ ઈશ્વર કૃપા વડે જીવન કેટલું સરળ અને સુગમ બને છે અને કેવા સુંદર અનુભવો થાય છે તે લખવાની કોશિશ કરી છે. આ વાંચી જો કોઈને હરિનામ સ્મરણની પ્રેરણા મળશે તો આ પુસ્તકની પ્રસ્તુતિ સાર્થક થશે તેવું માનું છું.