‘કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાન વિચારણાની તુલનાએ ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતા પહેલાં સર્વદેશીય, ઉદાર અને સારો પ્રાણ તારવવાની દ્રષ્ટિની જરૂર છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજની વચ્ચે દ્રષ્ટિ ભેદના દરિયા ખોદાય છે, એટલે વેગીલી મનોદશાની સામે તો ભૂત – વર્તમાન કાળનો કલ્યાણ યોગ સંભવતો જ નથી. પણ આવા ઇતિહાસ – પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબલ મળી રહેશે. જે પેઢી ઇતિહાસમાંથી પ્રેરણા નથી મેળવતી તે નિર્માલ્ય થાય છે ? – ઝવેરચંદ મેઘાણી
