સુજ્ઞ વાંચકો, મારો આ વાર્તા સંગ્રહ આપનાં હસ્ત કમળમાં મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. ખાસ તો એટલા માટે કે આ મારું પાંચમું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. બીજું કે આ વાર્તા સંગ્રહમાં સમાવિષ્ટ અમુક વાર્તાઓ કે જે મારી જિંદગીની ઘટનાઓ પર આધારિત છે તેમાં મેં ગામનાં નામ જાણીજોઈને લખ્યા નથી અને પાત્રોનાં નામ પણ બદલાવ્યાં છે જેનાં કારણો મારા અંગત છે. આશા રાખું છું કે આપ સૌ વાંચકોને મારું લેખન ગમશે. જો આપ સૌને મારું લેખન ગમશે તો હું મારું લખવું સાર્થક સમજીશ. આપનો સ્નેહાધીન, રમેશ સંઘવી
