Mahatmaoni Ratnakanika_Sachi Shradhdhanjali (Bhag-3) (Gujarati) BY R. C. Patel (Additional Collector)

કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને ।। ।। પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમોનમ : ।। બ્રહ્માંડનો આ સૌથી તાકતવર મંત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો આ મંત્ર, રાતે સુતા પહેલા બોલી દો એટલે બીજું કઈ કરવાની જરૂર નથી. ઈશ્વરની પ્રાર્થના એકમાત્ર એવી ચીજ છે, જેની અસર ક્યારેય ઓછી થતી નથી. ઈશ્વરીય શક્તિ આગળ મોટામાં મોટી મુસીબતનો ઉકેલ મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય પોતાનું નસીબ લખાવીને આવે છે અને નસીબ અનુસાર જ તે પોતાનું જીવન જીવે છે. પરંતુ ક્યારેક ક્યારેક નસીબમાં મુશ્કેલીઓ લખેલી હોવા છતાં પણ ઈશ્વર પ્રાર્થના તેમાંથી આપણને બહાર કાઢી નાખે છે. તેના માટે ફક્ત એક શરત છે કે તમને આસ્થા હોવી જોઈએ. વિશ્વાસ એવી સીડી છે, જે ઈશ્વર સુધી પહોંચાડી આપે છે. જો ભક્તિમાં વિશ્વાસની કમી હશે તો મનુષ્ય ક્યારેય ઈશ્વર સાથે સંપર્ક સ્થાપિત કરી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવા માત્રથી જ બધા સંકટ દુર થઈ જાય છે અને કનૈયાલાલની કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામ જ એક પુર્ણ મંત્ર છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. એટલા માટે તેમના નામનું સ્મરણ માત્રથી જ બધા કષ્ટ દુર થઈ જાય છે. દરરોજ “કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ” મંત્રનો જાપ કરો. તેનાથી દુઃખ, કલેશ, ડર, નિરાશા અને ધન સંબંધિત પરેશાનીઓ દુર થવા લાગે છે. —-જય શ્રી કૃષ્ણ —-