અમદાવાદની પ્રખ્યાત રેડિઓ જોકી શૈલજાના જીવનમાં એક દિવસ અનહોની સર્જાય છે. ભેદી સંજોગોમાં શૈલજાની માતા રાધિકા આત્મહત્યા કરે છે. આ હત્યા હતી કે આત્મહત્યા એ સવાલના જવાબો શોધવાની શૈલજાની સફર શરૂ થાય છે. ભૂતકાળના શૈલજાના પ્રેમ સંબંધો વાર્તામાં એક નવો વળાંક લાવે છે. આ સફર શૈલજાને માર્તક દેવ નામના એક તાંત્રિક બાબાના દ્વાર સુધી લઈ જાય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી દોરી પર રહેલું સત્ય શું બહાર આવશે? વાર્તાના અંતમાં શું શૈલજાને તેની માતાની આત્મહત્યાનું કારણ મળશે? જાણવા માટે વાંચો આ નવલિકા. ડૉ. હેરત ઉદાવત
