અત્યારે રહેવાનું અમદાવાદમાં છે. નર્મદા કાંઠે વસેલા ભરૂચમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ગ્રેજ્યુએશન પણ ભરૂચમાં કર્યું. એમ.કોમની પદવી એમ.એસ.યુનિવર્સિટીમાંથી મેળવી. ત્રણ વર્ષ પ્રધાપિકાની જવાબદારી સંભાળી. સાહિત્યમાં કાંઈ ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી. વાર્તા વિશ્વનાં પરિવાર જોડે જોડાઈને વાર્તા લખવાનો લહાવો મળ્યો અને આજે એક મુકામે પહોંચી અને વાર્તાઓ પ્રકાશિત થશે એવી શુભ ઘડી આવી ગઈ છે. થોડી ઘણી કવિતાઓ પણ લખી છે અને હજી આગળ વધવાનું બાકી છે. – કૌશિકા દેસાઈ
