Description
સર્જક પરિચય સુભાષભાઈ પટેલ “એકાંત” શ્રી એમ. પી. શાહ હાઈસ્કૂલ એન્ડ શ્રી એચ. સી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, જીતપુર તા. બાયડ, જિ. અરવલ્લીમાં એક ગ્રંથપાલ તરીકે 38 વરસથી ઉત્તમ અને સફળ સેવાઓ આપી રહ્યા છે. તેઓ ઉત્તમ સર્જક અને શ્રેષ્ઠ એન્કર છે. તેમણે સ્વાતિબુંદ, મૃત્યોત્સવ, ભાવસ્પંદન અને મીઠા મીઠા ટહુકા નામે બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે. આ સર્જન ‘ચિદાકાશ’તેમની સાધનાનો પ્રકાશ છે.તેમને 300 જેટલા વિવિધ સમારંભોમાં એન્કર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. તેમજ બૃહદ સાબરકાંઠા (સાબરકાંઠા, અરવલ્લી) ના ઈતિહાસના લેખનમાં સહસંપાદક તરીકે ઉત્તમોત્તમ કાર્ય કર્યું છે. સર્વશિક્ષા અભિયાન ગાંધીનગરમાં પુસ્તક પસંદગી સમિતિના સભ્ય તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ગુજરાતના વિવિધ સામયિકો જેવાં કે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ, જનકલ્યાણ, અખંડાનંદ, અચલા, પુસ્તકાલય વગેરેમાં તેમના લેખો સમયાંતરે પ્રકાશિત થતા રહ્યા છે. તેઓ ગાયત્રી પરિવારના સક્રિય કાર્યકર્તા અને ગાયત્રી શક્તિપીઠ, બાયડના કારોબારી સભ્ય છે. સુભાષભાઈ કવિહૃદય ધરાવે છે. સ્વભાવે સરળ, નિખાલસ અને સરળ છે,તેઓ મળવા જેવા મુઠ્ઠી ઊંચેરા માનવી છે. શિક્ષકત્વ તેમની નસ નસમાં વહે છે ,તેમના વક્તવ્ય અને કર્તવ્યમાં આધ્યાત્મિકતા છલકે છે. માનવતાથી મહેંકતા અને ગહેંકતા સુભાષભાઈ શિક્ષણજગત અને સાહિત્ય જગતના એક તેજસ્વી તારલા છે. અક્ષરપીઠના મહામંડલેશ્વર એટલે શ્રી સુભાષભાઈ પટેલ….. – કમલેશ શુક્લ (રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી)



Reviews
There are no reviews yet