Description
કળિયુગ શું છે ? આ જાણવું આ પેઢી માટે અને આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. કળિયુગ એટલે સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને એ પછી સૌથી લાંબા સમયનો યુગ છે. કળિયુગ એટલે સૌથી ભયાનક અને ઘોર અંધકારવાળો સમય ધરાવતો યુગ. આ યુગની સમય રેખા પણ લાંબી છે અને આ યુગમાં અધર્મ પણ વધારે છે. જયારે તમારી પરીક્ષા આપવાનો સમય આવવાનો હોય અને તમને ખબર છે કે પરીક્ષા ખૂબ જ અઘરી પણ છે અને લાંબી પણ છે, તો તમે એની તૈયારી પૂર્વેથી ચાલુ કરી દો છો. પરીક્ષામાં આવનાર પ્રશ્નો માટેના પુસ્તકોનું વાંચન કરીને એના વિશેની સમજણ લો છો. એ સમજણ જો તમારામાં આવે, તો જ તમે પરીક્ષા પાસ કરી શકો છો ! એ જ રીતે કળિયુગ જેવા કપરા યુગમાં જીવવા માટે કળિયુગની જાણકારી અને સમજ ખૂબ જરૂરી છે. તેમાં જીવવા માટેના ઉપાયો અને કળિયુગ નો અંત કરનારા ભગવાન શ્રીકૃષ્ણને પણ સમજવા અને જાણવા જરૂરી છે. આ પુસ્તકમાં કળિયુગ માટેની સામાન્ય માણસ સમજી શકે એવી સમજણ આપવામાં આવી છે. તદુપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભગવાન શ્રીકૃષ્ણને ઊંડાણપૂર્વક સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. આ પુસ્તક કળિયુગમાં જીવતા તમામ ઉંમરના લોકો માટે પૂરતી જાણકારી અને આ કપરા સમયના સમાધાન માટેની દિશા બતાવે છે. આ પુસ્તક વાંચ્યા પછી જીવનના ઘણા પ્રશ્નોના જવાબ તમને મળશે, તેની મને ખાતરી છે. શ્રી કૃષ્ણમ્ સદા સહાયતે







Reviews
There are no reviews yet